Wednesday, February 20, 2013

ગાંધીજી કહે છે : વિદ્યાર્થી વિશે

"ચોમેર છાઈ રહેલી નિરાશાની રાત્રિમાં આપણે ભૂલા ન પડીએ.આશાનાં કિરણને સારુ આપણે બાહ્યાકાશ ભણી નજર ન નાખીએ, પણ અંતરાકાશ તપાસીએ.જે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ છે, જેણે ભયનો ત્યાગ કર્યો છે, જે પોતાના કર્તવ્યમાં પરાયણ રહે છે, જે કર્તવ્યપરાયણતામાં જ પોતાના હકોને છુપાયેલા જુએ છે તે વિદ્યાર્થી બહાર વ્યાપી રહેલા અંધકારથી ભયભીત નહીં થાય, પણ જાણશે કે એ અંધકાર ક્ષણિક છે, પ્રકાશ નજીક છે."

કુલપતિ ગાંધીજી
( ગૂજરાત વિદ્યાપીઠઅમદાવાદ મુકામે ૦૫-૧૨-૧૯૨૫ના રોજ યોજાયેલા પદવીદાન સમારંભમાં રજૂ કરેલા ભાષણમાંથી )   

મૂળ અંગ્રેજી : 'યંગ ઇન્ડિયા', ૧૦-૧૨-૧૯૨૫
અનુવાદ : 'નવજીવન', ૧૩-૧૨-૧૯૨૫

No comments:

Post a Comment