Sunday, December 14, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : પાંચમું બુલેટિન


નારાયણભાઈની રાત્રિ શાંતિમય અને કોઈ મુશ્કેલીરહિત હતી. તેમનું રુધિરાભિસરણ અને તેમના હૃદયની કામગીરી સામાન્ય છે. ગઈ કાલે બપોરે તેમના હૃદયની કામગીરી અંગે થોડી ચિંતા હતી, પરંતુ રાત સુધીમાં પરિસ્થિતિ સારી થઈ ગઈ. તેમને સક્શન દરમ્યાન હજુ પણ મુશ્કેલી છે તે વેદનાદાયક છે અને લોહી પણ નીકળે છે. ડૉક્ટર અને ઉમાબહેન સક્શનને કારણે થતી ઈજાને ન્યૂનતમ કરવાના પ્રયત્નમાં છે. ફેફસામાંથી થૂંકને દૂર રાખવા માટે સક્શન કરવું પડે છે. ઉમાબહેનને લાગે છે કે, નારાયણભાઈની શુદ્ધિના સ્તરમાં સુધારો થયો છે. તેમની સામાન્ય સ્થિતિ સ્થિર અને સુધારા તરફની છે. ડૉકટરના જણાવ્યા અનુસાર વર્તમાન કટોકટીમાંથી બહાર આવવા માટે આ સ્થિરતા ૭થી ૮ દિવસ સુધી ટકી રહેવી જોઈએ. 


તેમની સ્થિતમાં સુધારા માટે આપણે પ્રાર્થીએ છીએ.


સમાચાર-સૌજન્ય :
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૪-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૪૫


No comments:

Post a Comment