Tuesday, December 16, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : સાતમું બુલેટિન


નારાયણભાઈ આજે વહેલી સવારના ૩.૦૦ કલાક સુધી જાગતા રહ્યા, ત્યાર બાદ જ સૂઈ શક્યા. ગઈ કાલે સમગ્ર બપોર દરમિયાન સૂઈ રહેવાથી આમ થયું. તેમને પીડા થાય છે જેને વ્યક્ત કરવાની તેઓ કોશિશ કરી રહ્યા છે. તેઓ હજુ પણ બોલી શકતા નથી. ઝરણ ઓછું થવાથી તેઓ સક્શનની ગેરહાજરીમાં આરામ રાહત અનુભવી રહ્યા છે. તેઓ હાથ હલાવી શકે છે, માથું ખંજવાળવા અને હાથનું અન્ય હલનચલન શરૂ થયું છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આ સાજા થવાનાં ચિહ્નો છે. તેમ છતાં, ડોકટરો આગામી ૪થી ૫ દિવસ સુધી આઈસીયુમાં સંપૂર્ણ સંભાળ સૂચવી રહ્યા છે.

આપણી પ્રાર્થના સતત ચાલુ જ છે.


સમાચાર-સૌજન્ય :

કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(સુદર્શન આયંગારે ઉમાબહેન સાથે કરેલી વાત મુજબ)
તારીખ : ૧૬-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૧૦


No comments:

Post a Comment