Monday, December 15, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : છઠ્ઠું બુલેટિન


નારાયણભાઈની સ્થિતિ પહેલાની તુલનામાં સારી છે. તેમની રાત્રિ શાંતિમય હતી. ગઈ કાલ સાંજથી ઝરણ ઓછું થયું છે એટલે સક્શનની ઓછી જરૂર છે. તેઓ થૂંક ગળી શકે છે. તેઓ આંખો ખોલીને લોકોને ઓળખી રહ્યા છે. તેમને થઈ રહેલી પીડાની જગ્યા બતાવી શકે છે. તેઓ હાથનું હલનચલન કરી શકે છે. ઊંઘરેટા હોવા છતાં તેઓ શુદ્ધિમાં છે. આજ સવારની સ્થિતિ જોતાં હકારાત્મક અને સારાં ચિહ્નો કહી શકાય. તેમનું સ્વાસ્થ્ય સુધારા ભણી જઈ રહ્યું છે.

આપણે તેમના પૂર્ણ સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ.


સમાચાર-સૌજન્ય :

કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(ઉમાબહેન સાથે વાત કર્યા બાદ)
તારીખ : ૧૫-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૪૫


No comments:

Post a Comment