Saturday, December 13, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : ચોથું બુલેટિન


નારાયણભાઈની રાત્રિ શાંતિમય હતી, અગાઉની રાત્રિઓની તુલનામાં સારી. જોકે, તેઓ પીડા અનુભવી રહ્યા છે. કફ બહાર ખેંચવા જેવી ખૂબ જ પીડાના સમયમાં તેઓ બોલીને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે, અલબત્ત સ્પષ્ટતાપૂર્વક નહીં. ગઈ રાત્રે ખૂબ જ પીડામાં તેમણે આંખો ખોલી. ત્યાર બાદ સંઘમિત્રા/ઉમાબહેને તેમને નામ દઈને બોલાવ્યા અને પોતે બાજુમાં છે એમ જણાવ્યું. તેમણે આંખો ફરી ખોલી. ડૉક્ટરે સલાહ આપી છે કે પરિવારે તેમને બોલાવતા અને વાત કરતા રહેવું. જેના કારણે નારાયણભાઈને પ્રતિભાવ આપવા માટે ઉત્તેજન મળી રહે. નારાયણભાઈનો બીજો પુત્ર અફલાતૂન તેમને ગીતો સંભળાવી રહ્યો છે. પરિસ્થિતિ સ્થિર જણાય છે અને આંશિક સુધારો કહી શકાય. પરંતુ ડૉક્ટરના જણાવ્યા અનુસાર એક સપ્તાહ પહેલાં, તેમના ઈલાજ અંગે સહાયકર્તા કશું કહી શકાય તેમ નથી.

સમાચાર-સૌજન્ય :કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(સુદર્શન આયંગારે ઉમાબહેન અને દુઆ સાથે કરેલી વાત મુજબ)
તારીખ : ૧૩-૧૨-૨૦૧૪
વખત : સવારના ૮.૦૦


No comments:

Post a Comment