Wednesday, March 25, 2020

૧૪

'ટ્રાન્સવાલમાં ૧૮૮૫માં સખત કાયદો થયો. ૧૮૮૬માં કંઈક સુધારો થયો. તેને પરિણામે હિંદીમાત્ર દાખલ-ફીના ત્રણ પાઉન્ડ આપે એમ ઠર્યું. જમીનની માલિકી તેઓ માત્ર તેમને સારુ નીમેલા વાડામાં જ ધરાવી શકે. આમાંયે માલિકી તો મળી જ નહીં. એમને મતાધિકાર તો ન જ હોય. આ તો ખાસ એશિયાવાસીઓને લગતા કાયદા. વળી, જે કાયદા શ્યામ વર્ણના લોકોને લાગુ પડે તે પણ એશિયાવાસીઓને લાગુ ખરા જ. તે મુજબ હિંદીઓ પગથી ('ફૂટપાથ') ઉપર હકપૂર્વક ન ચાલી શકે, રાતના નવ વાગ્યા પછી પરવાના વિના બહાર ન નીકળી શકે. આ છેલ્લા કાનૂનનો અમલ હિંદીઓ સામે ઓછાવત્તા પ્રમાણમાં થતો. જેઓ આરબ તરીકે ખપતા તેઓને મહેરબાની દાખલ આમાં ન ગણવામાં આવે. એટલે આવી રાહત પોલીસની ઇચ્છા ઉપર રહે. 
આ બન્ને નિયમોની અસર મારે પોતાને વિશે તપાસવી પડી હતી. મિ. કોટ્સની સાથે ઘણી વેળા હું રાતે ફરવા નીકળતો. ઘેર જતાં દસ પણ વાગે. એટલે મને પોલીસ પકડે તો? આ ધાસ્તી મને હતી તેના કરતાં કોટ્સને વધારે હતી. કેમ કે પોતાના હબસીઓને તો તે જ પરવાના આપે. મને શી રીતે પરવાનો આપી શકે? પરવાનો પોતાના નોકરને જ આપવાનો શેઠને અધિકાર હતો. હું લેવા માગું ને કોટ્સ દેવા તૈયાર થાય તોયે તે ન જ આપી શકાય, કેમ કે તે દગો ગણાય.'

અંગ્રેજી ભાષા, દેશી મજા : 146

અંગ્રેજી ભાષા, દેશી મજા : 145

Tuesday, March 24, 2020

૧૩

'ગીરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીરગામથી ઘણે ભાગે નિયમસર ચાલીને જતો. તેમાં ખાસી ૪૫ મિનિટ લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે તે સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા ને મુંબઈમાં મારા સાથીઓ માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડ્યો હોઉં એમ મને સ્મરણ નથી. જયારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઑફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી. આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું.'

Monday, March 23, 2020

૧૨

'મેં પારીસમાં અન્નાહારનું એક મકાન હતું એ વિશે વાંચ્યું હતું. ત્યાં એક કોટડી રોકી. ગરીબાઈથી મુસાફરી કરી પારીસ ગયો. સાત દિવસ રહ્યો. ઘણુંખરું બધું જોવાનું પગપાળા જ કર્યું. સાથે પારીસની, તે પ્રદર્શનની ગાઇડ ને તેનો નકશો રાખ્યાં હતાં. તેને આધારે રસ્તાઓ શોધીને મુખ્ય વસ્તુઓ જોઈ. 

પ્રદર્શનની વિશાળતા અને વિવિધતા સિવાય બીજું મને કંઈ યાદ નથી. એફિલ ટાવર ઉપર તો બેત્રણ વેળા ચડેલો, એટલે તેનું સ્મરણ ઠીક છે. પહેલે મજલે ખાવાની સગવડ પણ હતી. એટલે ઊંચે ભોજન કર્યાનું કહી શકવા ખાતર ત્યાં ખાણું ખાધું ને સાડા સાત શિલિંગમાં દીવાસળી મેલી.'

Sunday, March 22, 2020

૧૧

'અત્યાર સુધી કુટુંબોમાં રહેતો હતો તેને બદલે પોતાની જ કોટડી લઈને રહેવું એમ ઠરાવ કર્યો, અને કામ પ્રમાણે તથા અનુભવ મેળવવા સારુ જુદાં જુદાં પરાંમાં ઘર બદલવું એવો પણ ઠરાવ કર્યો. ઘર એવે ઠેકાણે પસંદ કર્યાં કે જ્યાંથી કામની જગ્યાએ અડધા કલાકમાં ચાલીને જઈ શકાય ને ગાડીભાડું બચે. આ પહેલાં હમેશાં, જવાનું હોય ત્યાં ગાડીભાડું ખરચવું પડતું અને ફરવા જવાનો વખત નોખો કાઢવો પડતો. હવે કામે જતાં જ ફરાઈ જાય એવી ગોઠવણ થઈ અને આ ગોઠવણથી હમેશાં આઠદસ માઈલ તો હું સહેજે ફરી નાખતો. મુખ્યત્વે આ એક ટેવને લીધે હું ભાગ્યે જ વિલાયતમાં માંદો પડ્યો હોઈશ. શરીર ઠીક કસાયું.'

Saturday, March 21, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1091


'Quarantine' માટે 'સૂતક' શબ્દ છે. આપણે 'ક્વૉરન્ટીન' માટે 'એકલવાસ' જેવો ગુજરાતી શબ્દ પ્રચલિત કરવા જેવો છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1090


'Hand Sanitizer' માટે 'હસ્ત સ્વચ્છક' જેવો ગુજરાતી શબ્દ ઘરે જ બનાવી શકાય!

ભાષાની મજા, મજાની ભાષા - 1089


'Sanitizer' માટે 'જંતુમુક્તક' જેવો ગુજરાતી શબ્દ પ્રચલિત કરવા જેવો છે!

Know about 'Novel Corona Virus'

૧૦

'પાઈએ પાઈનો હિસાબ રાખતો. ખર્ચની ગણતરી હતી. દર માસે પંદર પાઉન્ડથી વધારે ન ખરચવા એમ નિશ્ચય કર્યો હતો. બસ(મોટર)માં જવાનું કે ટપાલનું ખર્ચ પણ હમેશાં માંડતો, ને સૂતા પહેલાં હમેશાં મેળ મેળવી જતો. આ ટેવ છેવટ સુધી કાયમ રહી.'

Friday, March 20, 2020

કોરોના સામે સ્વયં સાવચેતી : રમત-ઘરમાં બાળકોની અભિનંદનીય ગેરહાજરી


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

જ્યાં ઉત્સાહી બાળકોની ટોળકીઓ જોવા મળતી હોય એ જગ્યા સૂમસામ ભાસે છે.
શક્ય હોય ત્યાં, કોરોનાના સંભવિત સંક્રમણ સામે આવી જ સાવચેતી રાખીએ.

(તસવીર-તારીખ : ૨૦-૦૩-૨૦૨૦, શુક્રવાર, સમય : સાંજના સવા આઠ)

Ignaz Semmelweis says 'Wash Your Hand'

૦૯

'મેં તો ભ્રમણ શરૂ કર્યું. મારે નિરામિષ એટલે કે અન્નાહાર આપનારું ભોજનગૃહ શોધવું હતું. ઘરધણી બાઈએ પણ કહેલું કે લંડન તળમાં એવાં ગૃહો છે ખરાં. હું રોજ દશબાર માઈલ ચાલું. કોઈ ગરીબડા ભોજનગૃહમાં જઈ પેટ ભરીને રોટી ખાઈ લઉં, પણ સંતોષ ન વળે. આમ ભટકતાં એક દિવસ હું ફેરિંગ્ડન સ્ટ્રીટ પહોંચ્યો ને 'વેજિટેરિયન રેસ્ટરાં' (અન્નાહારી વીશી) એવું નામ વાંચ્યું. બાળકને મનગમતી વસ્તુ મળવાથી જે આનંદ થાય તે મને થયો. હર્ષઘેલો હું અંદર દાખલ થાઉં તેના પહેલાં તો મેં દરવાજા પાસેની કાચની બારીમાં વેચવાનાં પુસ્તકો જોયાં. તેમાં મેં સૉલ્ટનું 'અન્નાહારની હિમાયત' નામનું પુસ્તક જોયું. એક શિલિંગ આપી ખરીદ્યું ને પછી જમવા બેઠો. વિલાયતમાં આવ્યા પછી પેટ ભરીને ખાવાનું પ્રથમ અહીં મળ્યું. ઈશ્વરે મારી ભૂખ ભાંગી.'

Thursday, March 19, 2020

૦૮

'વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારુ કદાચ મારે સજા નથી ભોગવવી પડી;'

'જાગ્યા ત્યારથી સવાર' // સજીવ ખેતી વિષયક ગુજરાતી ચિત્રપટ

પ્રથમ ભાગ :

બીજો ભાગ :

(વિગત-સૌજન્ય : ભરત ચૌધરી, પાટણ)

ભાષાની મજા, મજાની ભાષા - 1088


'કોરો નાસ્તો ખતરનાક સાબિત થઈ રહ્યો છે.'
'કોરોનાસ્તો ખતરનાક સાબિત થઈ રહ્યો છે.'

Wednesday, March 18, 2020

૦૭

' ... પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્તર હતા. તે વિદ્યાર્થીપ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા, તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારુ કસરતક્રિકેટ ફરજિયાત કર્યાં હતાં. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો હું કદી કસરત, ક્રિકેટ કે ફૂટબૉલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ.
 
છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ કે, પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઈસ્કૂલનાં ઉપલાં ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું.'

Tuesday, March 17, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 144


'એપિડેમિક' અને 'પેનડેમિક'માં કાંઈ ફેર જેવું લાગે છે?  


૦૬


‘આશ્રમમાં પાળેલી શિસ્તનો ખરો ફાયદો મને હવે જણાયો. આખા દિવસ પૂરતો કામ અને કસરતનો નિયમિત કાર્યક્રમ ઘડી કાઢ્યો અને એને હું ચુસ્તપણે પાળવા લાગી. અમુક સમય વાચન, અમુક સમય હિંદી, અમુક સમય કાંતવાનું, રસોઈ, ભોજન, કપડાં ધોવાં અને અમુક સમય ચોગાનમાં આંટા મારીને કસરત કરવા માટે નક્કી કરી દીધો.’ (૧૬૭)

Monday, March 16, 2020

૦૫


‘વિલેનવમાં રહેનારામાંથી જે લોકો વહેલી સવારે બાપુ સાથે ફરવા આવતા તેમાં અધ્યાપક અને માદામ પ્રિવા અને પેલા આપણું ધ્યાન ખેંચી લે તેવા શાંતિચાહક પિયર સેરેસોલ હતા. લંડન જેટલા વહેલા ફરવા નહોતાં નીકળતાં, એટલે કે, અમે અજવાળું થવાની રાહ જોતાં. અહીં તો ગામડાંની અંધારી ગલીઓમાં ચાલવાની વાત હતી, અને ડિસેમ્બરની ઠંડીની માત્રા પણ વધી હતી. અમે નીકળ્યાં તે પહેલાં જ તળાવની આસપાસના પહાડો ઉપર બરફ પડ્યો હતો.’ (૧૫૮)

Sunday, March 15, 2020

૦૪

‘ … કેટલાંક ચિત્રો મારા સ્મરણમાં અંકાઈ ગયાં છે. એક તો મહેલના બગીચામાં ચિચેસ્ટરના બિશપ સાથે બાપુ આંટા મારતા હતા તે. કોઈ પણ કલાકાર ચિત્ર કરવા માટે આને આદર્શ વિષય સમજે. કેન્ટરબરીના મોટા દેવળમાં એક સાંજની પ્રાર્થનામાં બાપુએ હાજરી આપી હતી. તે જ દિવસે રાત્રે કેન્ટરબરીના ડીન શ્રી હ્યુલેટ જોન્સનના બેસવાના ઓરડામાં એક ગાલીચા ઉપર બેસીને બાપુ કાંતતા હતા અને ડીન પોતે પણ જમીન ઉપર બેસી ધ્યાનથી તેમને જોઈ રહ્યા હતા તે.’ (૧૫૦)

Making of Madeleine Slade as Mirabehn

Saturday, March 14, 2020

Laadli Media & Advertising Awards for Gender Sensitivity (LMAAGS 2020)



http://populationfirst.org/


Call for Entries for the 10th edition of the Laadli Media & Advertising Awards for Gender Sensitivity (LMAAGS 2020).

LMAAGS is an important means to bring visibility to the amazing work that is happening from gender perspective in media.

The last date for submitting the entries is 15th April 2020.

The entries being submitted should have been published, broadcast or telecast between 1st January 2018 to 31st Dec 2019. The call for entries brochure and entry form are available on website: www.populationfirst.org

૦૩ : મીરાંબહેનને પત્ર // મે ૨૭, ૧૯૩૫

ચિ.મીરાં, 

તારા બે સુંદર વર્ણનાત્મક પત્રો મળ્યા. તારી સર્જકશક્તિના આવિર્ભાવ માટે આ રીતે એકલા ફરવા જવાનું તારે માટે કેટલું બધું જરૂરી છે એ આ પત્રો દર્શાવે છે. દરરોજ નહીં તો બની શકે એટલી વાર તારે ફરવા જવાનું રાખવું જોઈએ. 

Friday, March 13, 2020

૦૨ : મીરાંબહેનને પત્ર // મે ૨૬, ૧૯૩૫


ચિ. મીરાં, 

સિંદીની સફાઈનું કામ એક દિવસ માટે પણ જતું કરવું ન જોઈએ. પણ સાથે સાથે મૌન રાખીને ટેકરી સુધીનું તારું ફરવા જવાનું પણ ચાલુ રહેવું જોઈએ.

Thursday, March 12, 2020

૦૧ : કલાકોની ફાળવણી // શંકરલાલ બૅંકર


ગાંધીજીને ચાલવાનું બહુ ગમતું ને રોજ સવારસાંજ અડધો કલાક નિયમિત રીતે ચાલતા. ચાલવાને તેઓ બાદશાહી કસરત (રૉયલ એક્સરસાઈઝ) કહેતા. ચોમાસામાં વરસાદ આવતો હોય ત્યારે પણ એમની ૧૦'×૧૦'ની ઓરડીમાં એક ખૂણેથી બીજે ખૂણે આંટા મારતા.

The Story of Dr. Pranjivan Mehta and His Little-Known Link to Dandi March


https://search.app/oNVMZKZTacve8JcM9


Wednesday, March 11, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1087

'મને રોજ રાતે નવ વાગ્યે ઊંઘ આવી જાય. સવારે પાંચ વાગ્યે જાગ આવી જાય. દાતણ-ચા-પાણી કરીને, છ વાગ્યે તો ખેતરે પહોંચી જાઉં.'

પોપટભાઈ ઠાકોર, ખેડૂત
ગામ : મેરા, તાલુકો : દસાડા, જિલ્લો : સુરેન્દ્રનગર
(મુલાકાત-તારીખ : ૧૦-૦૩-૨૦૨૦, મંગળવાર, ધુળેટી)

11 March 1702 – the world’s first daily newspaper published


https://moneyweek.com/383504/11-march-1702-elizabeth-mallet-daily-courant-first-daily-newspaper

Tuesday, March 10, 2020

નગીનદાસ સંઘવીને એકસોએકમા જન્મદિને અભિવંદન


નગીનદાસ સંઘવી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

નગીનદાસ સંઘવી
નિવૃત્ત પ્રાધ્યાપક,
'દિવ્ય ભાસ્કર' દૈનિક અને 'ચિત્રલેખા' સાપ્તાહિકના વરિષ્ઠ કતારલેખક

જન્મ : ૧૦-૦૩-૧૯૨૦

Sunday, March 1, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1085


ઉચ્ચારણમાં કાન અને ધ્યાન નહીં રાખો તો, 'સળિયો' છેવટે 'સળીઓ' થઈ જશે!

Tuesday, February 18, 2020

કસ્તૂરકથા - ૦૧

કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી

ડૉ. અશ્વિનકુમાર


પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

..........................................................................................

તારીખ : ૧૭-૦૨-૨૦૨૦થી ૨૨-૦૨-૨૦૨૦ (કસ્તૂરબા નિર્વાણદિન)
વાર : સોમથી શનિ
સમય : સવારે અગિયારથી પોણાબાર
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ
અમદાવાદ : ૩૮૦ ૦૧૪

Wednesday, February 12, 2020

Abraham Lincoln

અંગ્રેજી ભાષા, દેશી મજા : 143


અમારી બહુમાળી વસાહતના, સવારે ચાલનારા મિત્રોએ 'WhatsApp'માં એક ગ્રૂપ બનાવ્યું છે. અમે તેનું નામ 'WalksApp' પાડવાનું સૂચવ્યું છે. (૧૨-૦૨-૨૦૨૦)

Tuesday, February 4, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1084


'અંગમરોડ' લખ્યું હોય ત્યારે, તેઓ ભલે 'અંગમ રોડ' વાંચે, આપણે તો 'અંગ મરોડ' એ રીતે જ વાંચવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1083


'મેળાપીપણું' લખ્યું હોય ત્યારે, તેઓ ભલે 'મેળા પીપણું' વાંચે, આપણે તો 'મેળાપી પણું' એ રીતે જ વાંચવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1082


'ગાઈવગાડીને' લખ્યું હોય ત્યારે, તેઓ ભલે 'ગાઈવ ગાડીને' વાંચે, આપણે તો 'ગાઈ વગાડીને' જ વાંચવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1081


 'લેહલદાખ' લખ્યું હોય ત્યારે, તેઓ ભલે 'લેહલ દાખ' વાંચે, આપણે તો 'લેહ લદાખ' એમ જ વાંચવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1080


આપણાં અખબારોની ભાષા મુજબ તંત્ર સફાળું જ જાગતું હોય છે!

Friday, January 10, 2020

સપ્તકની આઠમી સ્વરરાત્રિ

સપ્તકમાં જુગલબંધી કરનારા કળાકારો વચ્ચે સંગીતના સામંજસ્ય સાથે સ્મિતનો સેતુ રચાય છે.

ડૉ. અશ્વિનકુમાર
.........................................................................................................................................

આપણે એકબીજાને દર વર્ષે 'Happy New Year' બોલીને શુભેચ્છા પાઠવીએ છીએ. જોકે, અમદાવાદમાં સપ્તકના રસિયાઓ પહેલી જાન્યુઆરીથી તેર દિવસ સુધી પરસ્પરને 'Happy New Ear'ની શુભેચ્છા પાઠવીને કાનસમૃદ્ધ થતાં હોય છે! બૂમ-બરાડા અને ગોકીરા-દેકારાના ચાલુ વર્તમાનકાળમાં, સપ્તક સંગીત સમારોહના શિસ્તસજ્જ શ્રોતાજનોએ શ્રવણની સાધનાને કર્ણગત કરી છે. તેઓ બે સત્રો વચ્ચે નાનકડો વિરામ લઈને કેસર દૂધ કે કડક ચાની ચૂસકી લેતાં અને મઘઈ પાનની જોડીને મમળાવતાં, સૂર-તાલ કે લય-ગાનની હળવી ચર્ચા કરે છે. 

અમદાવાદની અનોખી ઓળખ એવા સપ્તક સંગીત સમારોહની, આઠમી રાત્રિના પ્રથમ ચરણમાં, અમાન અલી બંગશનું સરોદવાદન પ્રસ્તુત થયું. તેમણે રાગ લલિતાગૌરી, રાગ ચંદ્રનંદન અને માલકૌંસની બંદિશોની રજૂઆત કરી. વિજય ઘાટેએ ધ્યાનાકર્ષક તબલાં-સંગત કરી. દ્વિતીય ચરણમાં, પંડિત સ્વપન ચૌધરીનું એકલ તબલાં-વાદન પ્રસ્તુત થયું. તેમણે તીનતાલમાં જમાવટ કરી. દિલશાદ ખાને સારંગી-સંગત કરી.

તૃતીય ચરણમાં, પંડિત અજય ચક્રવર્તીનું શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત થયું. ચાલીસમો સપ્તક સંગીત સમારોહ જેમને સમર્પિત થયો છે એવા પંડિત રવિશંકર સાથેનાં સંસ્મરણો, અજયજીએ હૃદયપૂર્વક તાજાં કર્યા. તેમણે રાગ કલાવતીથી સૂરની સજાવટ કરી. સંગીતસભામાં નમ્રતામૂર્તિ અજય ચક્રવર્તીએ કહ્યું કે, 'ઇસમેં હમારા કુછ નહીં હૈ. પર સબ ગુરુઓં કી કૃપા હૈ.' સમર સહાએ તબલાં-સંગત કરી. પારોમિતા મુખર્જીએ હાર્મોનિયમ-સંગત કરી.

સપ્તકમાં જુગલબંધી કરનારા કળાકારો વચ્ચે સંગીતના સામંજસ્ય સાથે સ્મિતનો સેતુ રચાય છે. એટલે રસિકજનો મોજમાં આવીને હાથ આકાશ તરફ લાંબો કરે છે. આ જ વખતે ઈશ્વર પણ ધરતી તરફ હાથ લંબાવતો હોય એવું બને! 
.........................................................................................................................................
ડૉ. અશ્વિનકુમાર 'પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન'ના પ્રાધ્યાપક છે.





સૌજન્ય : 'દિવ્ય ભાસ્કર', 'સિટી ભાસ્કર', અમદાવાદ, ૧૦-૦૧-૨૦૨૦, પૃષ્ઠ : ૦૩

Wednesday, January 8, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1077


સાચો શબ્દ 'અમોઘ' છે, 'અમોધ' નહીં.
મોઘ એટલે નકામું, નિષ્ફળ.
અમોઘ એટલે નિષ્ફળ નહીં તેવું અર્થાત સફળ, સચોટ.

Monday, January 6, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1076


'નિકષા' શબ્દનો અર્થ થાય છે : 'રાક્ષસોની માતા'. પુરાણકથા મુજબ નિકષા સુમાલિની કન્યા અને વિશ્રવાની પત્ની હતી. આ રાક્ષસીના ગર્ભથી રાવણ, કુંભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ ઉત્પન્ન થયાં હતાં. આજકાલ બાળકનું નામ સાવ નોખું પાડવાના લોભમાં ભૂલથી પણ આવું નામ પસંદ ન થઈ જાય એનું ધ્યાન રાજ્ય સરકારે નહીં, આપણે જ રાખવું પડે!
    

Friday, January 3, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1074


લખવામાં ધ્યાન નહીં રાખો તો, ગુલાબની 'પાંખડી' છેવટે 'પાખંડી' થઈ જશે!

Wednesday, January 1, 2020

મહાત્માના માણસો
















( Photograph-Courtesy : Google Images )

બાપુ અમર રહો ! // જુગતરામ દવે


એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

એના જીવનમંત્ર સમો ચરખો
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !

અમ જીવનમાં અમ અંતરમાં
એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !

અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
એની પાવક આતમજ્વાળ દહો !

એનો સત્યનો સૂર્ય સદાય તપો
અમ પાપ-નિરાશાના મેલ દહો !

એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
અમ ભારતનાં સહુ ક્લેશ વહો !

એણે જીવતાં રામ સદાય રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;

લઘુ માનવમાં મહિમા ભરવા
નિજ લોહી અશેષ વહાવી ગયા.

Monday, December 30, 2019

શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : ૨૦૧૯ : અર્પણ સમારોહ

ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૯નો આ પુરસ્કાર શ્રી તરલાબહેન બાબુભાઈ શાહને આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
 
શ્રી તરલાબહેન બાબુભાઈ શાહનો જન્મ તા. ૧૮-૦૧-૧૯૩૬ના રોજ ભુજ (જિ. કચ્છ)માં થયો હતો. શ્રી તરલાબહેન શાહને સેવાના સંસ્કારો કચ્છના અગ્રણી કેળવણીકાર, લોકસેવક અને ગાંધીરંગે રંગાયેલા સમાજસુધારક એવા તેમના પિતા શ્રી પ્રભુલાલભાઈ ધોળકિયા પાસેથી મળ્યા હતા. તેઓએ ભુજની નજીક તેમના પિતા દ્વારા સ્થાપિત શિક્ષણસંસ્થા ‘સદનવાડી’ માં પ્રાથમિક શિક્ષણ તથા રાજકોટના કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. વળી તેઓએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ૧૯૫૩માં વિનીતની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ૧૯૫૬માં ‘સમાજવિદ્યા વિશારદ’ની પદવી મેળવી હતી.
 
સ્નાતક થયા બાદ, તેઓ વલ્લભપુર (તા. રાપર, જિ. કચ્છ) ખાતે શ્રી મગનભાઈ સોનીની સંસ્થામાં જોડાયા. ૧૯૫૭-૫૮માં તેઓએ મહિલા સમાજશિક્ષણ અધિકારી તરીકે ૧૪૦ ગામોમાં કામગીરી કરી. ૧૯૬૦માં શ્રી બાબુભાઈ શાહ સાથે લગ્ન કર્યા બાદ, સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ગ્રામભારતી, કલમકૂઈ મારફતે, તેઓએ શિક્ષણ અને સેવાનાં અનેક કાર્યો આરંભ્યાં. ૧૯૯૮માં આચાર્યપદેથી નિવૃત્તિ બાદ તેઓએ વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ મારફતે આદિવાસીઓ અને મહિલાઓના ઉત્થાનનું અનન્ય કાર્ય કર્યું.
 
મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે નઈ તાલીમ, આદિવાસી-કલ્યાણ, જાહેર આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્વરોજગારી, પર્યાવરણસુરક્ષા, સજીવ ખેતી, મહિલાવિકાસ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યા છે.

તેમનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૯ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી અને સમારોહના અધ્યક્ષશ્રી ઇલાબહેન ભટ્ટના હસ્તે આ પુરસ્કાર તેઓને અર્પણ કરવામાં આવનાર છે. અતિથિવિશેષ તરીકે શ્રી સુમતિબહેન રાવલ, વિશ્વમંગલમ્, અનેરા ઉપસ્થિત રહેશે. કુલનાયકશ્રી પ્રા. અનામિકભાઈ શાહ આ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરશે.

તારીખ : ૦૧-૦૧-૨૦૨૦, બુધવાર
સમય : સવારે ૧૧-૦૦ કલાકે
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

( વિગત-સૌજન્ય : ડૉ. ભરત જોશી, કાર્યકારી કુલસચિવ
કુલસચિવ કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ )

Saturday, December 14, 2019

સ્મરણો સચવાયાં શ્વેત-શ્યામ છબીમાં

 

સૌજન્ય : વ્હોટ્સએપ્પ વિશ્વવિદ્યાલય 



અનુપારંગત(વર્ષ : ૨૦૦૦)ના અમારા નિબંધ-માર્ગદર્શક તુષાર શંકર ભટ્ટ, પહેલી હરોળમાં જમણેથી ત્રીજી ખુરશીમાં બેઠેલા દૃશ્યમાન થાય છે.

Wednesday, December 11, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


સૂર્યોદય જોવા મેં બાપુજીને પથારીમાંથી ઉઠાડ્યા અને પછી અમે જે આનંદ લૂંટ્યો તે અવર્ણનીય છે. આશ્રમ અને વિદ્યાપીઠ વિશે બાપુજીએ તે દિવસે મારી આગળ દિલ ખોલીને વાતો કરી. ... 

Tuesday, December 10, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


આજકાલ વિદ્યાપીઠની ભવિષ્યની રૂપરેખા ખૂબ દોરું છું. દરેક સંસ્થાના સંચાલક જો બધી વિગતો પોતાના સાથીઓ આગળ ચીતરતા અને ચર્ચાતા રહે તો સંસ્થાની પરંપરા નિર્વિઘ્ને ટકે અને વધે. 

Monday, December 9, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


મારા જીવનમાં મેં જે થોડીક મહત્વની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેમાં મારે મન ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિ સૌથી મહત્વની હતી.

Sunday, December 8, 2019

આનંદ હિંગોરાણીને ગાંધીજીની ચિઠ્ઠી


'મારી શાંતિ અને મારી વિનોદવૃત્તિનું રહસ્ય મારી ઈશ્વર એટલે કે સત્ય ઉપરની અવિચળ શ્રદ્ધામાં રહેલું છે.' 

- મો. ક. ગાંધી, ૨૪-૧૦-૧૯૪૪ 

(આનંદ તો. હિંગોરાણીને ચિઠ્ઠી, ગાંધીજીનો અક્ષરદેહ, ૭૮ : ૨૩૭)



વાસરી // કાકાસાહેબ કાલેલકર

 
પુસ્તકાલય વિશે બાપુજી સાથે વાતો. 
બાપુજીની સૂચના કે આશ્રમવાસીઓ પોતાના કામપૂરતાં પુસ્તકો આશ્રમમાં રાખે. બાકીની આખી લાઇબ્રેરી વિદ્યાપીઠમાં લઈ આવવી જેથી સળંગ એક અને જીવતી લાઇબ્રેરી થાય.


Saturday, December 7, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


વિદ્યાપીઠની ઉપાસનામાં બહારના લોકો પૂછ્યા વગર આવે છે એ ઠીક નથી. પૂછવા જેટલો વિવેક પણ લોકો પોતાની મેળે કેળવે નહીં એ કેટલું ખરાબ? 

Friday, December 6, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


મારે હવે નવા યુવાન સેવકોને સાથે લઈને બેસવું જોઈએ. વિદ્યાપીઠનું કામ જેઓ આગળ જતાં કરશે તેમની આગળ મારાં સ્વપ્નાં રજૂ કરી દઉં. એટલે એક મોટું કામ થયું. એને માટે એક દિવસ મુકરર કરી વખત પણ નક્કી કરવો જોઈએ. મંગળવાર એને માટે યોગ્ય લાગે છે. 


Thursday, December 5, 2019

રઘુવીર ચૌધરીને બ્યાશીમા જન્મદિન નિમિત્તે અભિવંદન


રઘુવીર ચૌધરી (જન્મ : ૦૫-૧૨-૧૯૩૮) આજે (તા. ૦૫-૧૨-૨૦૧૯) એક્યાસી વર્ષ પૂરાં કરે છે.

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


* રઘુવીર ચૌધરીના સાહિત્ય વિશેની વિગતો માટે આ કડી ઉપર પહોંચવું રહ્યું :

https://www.youtube.com/watch?v=wOE44PQZXeA

http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Raghuvir-Chaudhary.html

http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Raghuvir-Chaudhary.html


* રઘુવીર ચૌધરીના શિક્ષકત્વ વિશેની વિગતો માટે આ કડી ઉપર પહોંચવું રહ્યું :

http://ashwinningstroke.blogspot.in/2013/01/blog-post_20.html

વાસરી // કાકાસાહેબ કાલેલકર


... જવાબદારી નછૂટકે લીધી એ વાત ગમે તેટલી સાચી હોય તોય સમાજ તે માનવાનો નથી. માનવાને બંધાયેલો નથી. મીરાંબહેનને મેં કહ્યું હતું, "આ મુગટ કાંટાનો છે ત્યાં સુધી પહેરીશ. કાંટામાં ગુલાબ ઊગશે - ઊગવા જ જોઈએ, - એટલે એ ઉતારી મૂકીશ."

Wednesday, December 4, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


... મારા સ્વપ્નામાં એ નહોતું કે ગુજરાતમાં આવી ગુજરાતની સંસ્થા ચલાવવા માટે ગુજરાતી પ્રજા પાસે હું ભિક્ષા માગીશ. 
એ પણ સારું છે કે ખરચ જોગું જ હું લેતો થયો. પગાર લેવાનું બંધ કર્યું. અને પછી માગતો થયો. હજી પણ મારે મારો ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ. બે ટંક ભોજન અને બે જોડ કપડાં એટલું મળ્યું એટલે બસ.

Tuesday, December 3, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


ભાઈલાલભાઈ કહે છે કે વિદ્યાપીઠના કપાસના છોડ આખા ગુજરાતમાં પહેલે નંબરે આવે એવા છે. આસપાસના ખેડૂતોને બોલાવીને બતાવવા જોઈએ. ઘણાં વરસ સુધી એ અણખેડેલી જમીન હતી એટલે એમાં કસ વધારે હોય જ. અને અમે અમારા છોડ દૂર દૂર વાવેલા. 

Monday, December 2, 2019

છાપાંનાં ત્રણ કામ


'છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છેબીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છેને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઈ બતાવવી.'

મોહનદાસ કરમચંદ ગાંધી, 'હિંદ સ્વરાજ'


વિદ્યાપીઠની આશા // કાકાસાહેબ કાલેલકર


વિદ્યાપીઠ કાંઈ મામૂલી શિક્ષણસંસ્થા નથી. એની પાછળ મહાન આર્ય આદર્શ છે એટલું જ નહીં પણ આજના પ્રબુદ્ધ ગુજરાતમાં અને મહાગુજરાતમાં લગભગ બધાં બળોનું તે એક કેન્દ્રીકરણ છે. વિદ્યાપીઠના ધ્યાનમંત્ર સાથે આપણે વડના ઝાડનું પ્રતીક મૂક્યું છે. એનાં મૂળિયાં દૂર દૂર જઈ ત્યાંથી પોષણ લઈ આવે છે, એની વિસ્તીર્ણ ઘટા વિશાળ અને શીતળ છાયા ફેલાવે છે, એની વધતી જતી વડવાઈઓ નવે નવે ઠેકાણે જડ ઘાલે છે, અને એના ટેટાઓ કોણ જાણે કેટલે દૂર જઈ નવી નવી વસાહતો સ્થાપે છે. ખરેખર વટવૃક્ષ જેમ આપણી સંસ્કૃતિનું દ્યોતક છે તેમ આપણી સંસ્થાના આદર્શનું સૂચક પણ છે.